Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Monday 26 June 2017

INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICITE TRAFFICKING

        Today 26th June is celebrated as "International Day Against Drug Abuse And Illicite Trafficking". It was passed by united nations general assembly in 1987 by 42/112.
        The day is selected in the memory of dismantling of the opium trade in the China by Lin Zexu just before the opium war.
        Drug abuse and drug trade is a menace in the world and even before 10 years the trade was around 322 billion $ a year, and add into that illicit trafficking of the females and child this is a real big parallel economy running at the cost of the lives of youth, female and children and ruining their lives. Many youth succumbing to and becoming addicted to the drugs which destroys not only their lives but also of their family. Drug abuse has multiple facets which includes social and political will to curb this menace, persons familial life and his psychological make-up.
        This year's theme is - Listen First. Listening to your child and youth is first step to help them grow healthy and safe.
        Listening - listening is an art. It is not an passive process as one may assume. It is an active process on the part of the listener. Listener should have some necessary qualities to become a successful listener. These qualities include Empathy, non - judgemental attitude, maintaining eye to eye contact. These make the talking person feel that he is being listened to and understood and the person feels emotionally secure as he or she knows that he can empty his feelings here. This is very important for the emotional growth of the person.
        One has to look in to the eyes of the person while talking or listening. It is not that you are busy with your work in the computer or mobile , busy in the social media while your child comes to you to talk. We have to put aside all our work and give our child first priority. Look into their eyes and show them your attention that whatever he/she is going to talk is the most important thing in the world for you at the moment.
        The most common mistake we make during conversation is being judgemental. This deters the children to talk with us so we have to keep ourselves non-judgemental. They don't need or deserve our criticism they just need to be understood to be listened to. But what we do? we become judge of their action or thoughts and advise them or criticise them regarding that. Because of this children starts hiding their feeling, thoughts or acts from their parents, family members. They are gravitated to peer groups where they feel like they are being accepted. And sometimes due to peer group pressure they are drawn to the drug abuse.
        Also we have to show the empathy during listening. Empathy is like putting your feet into their shoes only then you know where it hurts. It's making them feel that you understand how they are feeling at the moment. This feeling of being understood provides them emotional security. They feel safe, they feel they are accepted. This gets rid of any guilt, anxiety, sadness or underlying anger. Listen to the one who is talking, repeat if necessary what you understood and ask whether you have understood properly about how he/she is feeling.
        If we apply these principals in the communication with our family it'll certainly help to improve the family life. And usually these children, being emotionally healthy, are less likely to become victim of the drug abuse.
        It is said that God has given us two ears but only one tongue, so that we speak less and listen more but generally we do the opposite. It's time that we listen to this advise.
        crackers: Art of Listening is the only art of all that pleases the women and is key to the happy married life.
       
       

World Music Day

        21 મી જુન ના મારા બ્લોગમાં એક વાત રહી જ ગઈ અને તે મને મારા મિત્ર એ પ્રશ્ન પૂછીને યાદ અપાવી, કે 21મી જુન ના દિવસે વિશ્વ સંગીત દિન પણ ઉજવવામાં આવે છે. તો ચાલો એ બહાને વિશ્વ સંગીત દિનની અને ભારતીય સંગીતની થોડીક વાત કરી લઈએ.
       વિશ્વ સંગીત દિનની ઉજવણી ઈસવીસન 1982માં શરૂ થઇ, ફ્રાન્સમાં. તેનો શ્રેય જાય છે જેક લેન્ગને,જે તે સમયે ફ્રાન્સના સાંસ્કૃતિક બાબતોના મંત્રી હતા. એમણે જ્યારે એક અભ્યાસ માં જાણ્યું કે ફ્રાન્સમાં લગભગ દરેક બીજું બાળક કોઈને કોઈ સંગીતનું વાદ્ય વગાડી જાણે છે ત્યારે તેમને વિચાર આવ્યો જાહેરમાં લોકો એકઠા થઈ વાદ્યો વગાડે એક ઉત્સવ અને ઉમંગનું વાતાવરણ થાય.આજે 35 વર્ષે વિશ્વના લગભગ120 કરતા વધુ દેશોમાં આની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મફતમાં જાહેર પ્રજા માણી શકે તેવી રીતે સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
        સંગીત દિન ની વાત નીકળી છે એટલે સંગીત વિશે થોડી વાત કરી લઈએ.
        સૌથી પહેલા તો સંગીતની ઉત્પત્તિ વિશે વાત કરીએ. બીજી ઘણી બધી વિદ્યાઓની ઉત્પત્તિની જેમ સંગીત વિદ્યાની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ થયેલ છે તેમ માનવામાં આવેલ છે.ભગવાન શંકરના વર્ણનમાં પણ ''કર ત્રિશુલ ડમરુધર'' તેવુ વર્ણન આવે છે.આમ જુઓ તો આપણા દ્વારા પુજવામાં આવતા દેવ-દેવીઓ ના હાથમાં કોઇ ને કોઇ વાદ્ય હોય છે મોટાભાગે, જેમકે મા સરસ્વતીના હાથમાં વીણા, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી, દેવર્ષિ નારદના હાથમાં વીણા, તો ભગવાન ગણપતિ પખવાજ (મૃદંગ જેવુ સહેજ મોટા કદનું વાદ્ય) વાદનમાં નિષ્ણાત હતા. વળી ભારતીય પરંપરામાં એક મત પ્રમાણે નાદ દ્વારા જ જગતનો ઉદ્ભવ થયો છે એમ માનવામાં આવે છે અને ''नादैव ब्रह्म'', ''નાદ જ બ્રહ્મ છે એમ ગણાય છે. બાઈબલમાં પણ આમ કહેવાયેલ છે ''First there was only sound. The sound was with God and The sound was God.''સંગીતની શિક્ષામાં ઘણા સંગીત શિક્ષકો ૐકારની સાધનાને મહત્વ આપે છે, મેં ઝી ટીવી પર આવતા સારેગામપ કાર્યક્રમમાં મહાન ગાયિકા આશા ભોંસલેને એક સ્ત્રી સ્પર્ધકને તેની ગાયનકળા વધુ વિકસાવવા ૐકારની સાધના કરવાની સલાહ આપતા સાંભળેલ છે. સંગીતની આ દૈવી કળા માનવ પાસે આવી દેવર્ષિ નારદ દ્વારા (સંદર્ભ-નાટ્ય શાસ્ત્ર રચયિતા મુનિ ભરત). માણસોને લોભ અને મોહના પાશમાં બંધાયેલા ઈર્ષાથી ગ્રસિત જોઈને દેવોએ આ પગલુ ઉઠાવ્યુ.
        વેદોમાં પણ સામવેદ એ ગાઈ શકાય તેવો વેદ છે જ્યારે કે તેનો ઉપવેદ ગાંધર્વવેદ સંગીતનો ગ્રંથ ગણાય છે.
         સંગીતકળામાં ગાયન, વાદન અને નૃત્ય જેમાં ગાયન સૌથી શ્રેષ્ઠ ગણાયું છે. ગાયન ના આધારે વાદન અને વાદનના આધારે નૃત્ય થાય છે.
        સૌ જાણે છે તેમ સંગીત સાત સુરોના આધારે રચાયેલુ છે, આ સ્વરો છે, સા (ષડજ), રે(ૠષભ), ગ(ગાંધાર), મ(મધ્યમ), પ(પંચમ), ધ(ધૈવત),નિ(નિષાદ).આ સાત સ્વરો પૈકી રે, ગ, ધ, નિ સ્વરો કોમળ થઈ શકે છે જ્યારે કે મ તીવ્ર થઈ શકે છે, પરંતુ સા અને પ અચળ રહે છે આમ કુલ 12 સ્વરો કે જે મંદ્ર, મધ્ય અને તાર એમ ત્રણ સપ્તકમા ગવાય છે અને સંપૂર્ણ સંગીતની રચના કરે છે. પંડિત વેંકટમણિની ગણના મુજબ આ 12 સ્વરો માંથી 72 થાટ (સ્વરોનો એવો સમુહ કે જેમાંથી રાગ ઉત્પન્ન થાય છે.) બને છે અને પ્રત્યેક થાટમાંથી 484 રાગ બની શકે છે. એટલે કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 484*72=34848 રાગની રચના શક્ય છે. અને એક એક રાગમાંથી બની શકતી અસંખ્ય રચનાઓને ધ્યાનમાં લો તો આપણુ ભારતીય સંગીત એક વિશાળ સાગર સમાન છે, જેમાં જેટલી વખત ડુબકી મારો એટલી વખત રસ ના અલગ અલગ મોતી મળે છે.
        રાગ એટલે સ્વરોનો એવો સમુહ કે જે રસ ઉત્પન્ન કરે અને મનનું રંજન કરે. દરેક રાગનો પોતાનો ગાવા માટેનો એક આગવો સમય હોય છે જે સમયે તે વધુ મનોહર બને તો કેટલાક રાગ કોઇપણ સમયે ગાઇ શકાય તેવા હોય છે. દરેક રાગનો અલગ રસ હોય છે કોઇ શૃંગારરસ પેદા કરે છે તો કોઇ કરુણ કોઇ વીર તો કોઇ ભયાનક. વળી ગાયન વાદનમાં તાલનુ પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. કદાચ એટલે જ અમુક સંશોધનોમાં જણાયુ છે કે જે બાળકોને નાનપણથી સંગીત શીખવવામાં આવે છે તેમું ગણિત ખુબ સારુ થાય છે.
        સંગીતની અસર માત્ર માનવ મન પર જ થાય છે એવુ નહિ પણ પશુઓ અને પ્રકૃતિ પર તથા જડ પદાર્થો પર પણ થાય છે એમ કહેવાય છે.આ અંગે ની કેટલીક કિવદંતીઓ પ્રચલિત છે. કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરે પોતાના દરબારના મહાન ગાયક તાનસેન ને પૂછ્યું કે શું સાચે જ દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રકટાવી શકાય છે? અને તાનસેન દ્વારા તેનો જવાબ હામાં વાળવામાં આવતા અકબરે તેને તે પુરવાર કરવાનું કહ્યું. ભર્યા દરબારમાં રાત્રિના સમયે તાનસેને દીપક રાગ છેડ્યો, અને દીવાઓ પ્રજ્જ્વલિત થઈ ઉઠ્યા. અકબરે ખુબ ખુશ થઇ તાનસેનને ઘણી ભેટ આપી સન્માનિત કર્યો, પરંતુ આ રાગ ગાવાના કારણે તેના શરીરમાં દાહ ઉઠ્યો જે કંઈ પણ કરતા શમતો ન હતો. તેણે જાણ્યું કે દીપક રાગ ગાવાના કારણે શરીરમાં થતો દાહ તો જ શમે જો કોઈ જાણકાર મલ્હાર રાગ ગાય અને તેના કારણે થયેલ વરસાદનું પાણી પીવામાં આવે તો આ દાહ શમે. તાનસેને આવા ગાયકની શોધ આદરી અને તેની શોધ પુરી થઇ ગુજરાતમાં. ગુજરાતના વડનગર ખાતે રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મલ્હાર રાગ ગાઈને વાદળા વરસાવ્યા અને તે જળ પી ને તાનસેનનો દાહ દુર થયો. આજે આ બે બહેનોની યાદમાં વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી ઉત્સવ ઉજવવામાં આવે છે જેને શરુ કરવાનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે.
        તાનસેનની વાત નીકળી છે તો બૈજુ બાવરાને યાદ કર્યા વગર કેમ ચાલે? કહે છે કે તાનસેનને પોતાની સંગીત વિદ્યાનું એટલુ ઘમંડ થઇ ગયુ હતુ કે કોઇપણ ગાયક ને તે સ્પર્ધા કરવાનો પડકાર ફેંકતો અને હારનાર ને સજા થતી.આવી જ એક  સ્પર્ધા દરમિયાન બૈજુના પિતા હારી જતા તેને દેહાંત દંડની સજા થઈ. તેના આ અત્યાચારથી લોકો સંગીત શીખતા ડરવા લાગ્યા ત્યારે બૈજુ બાવરાએ તેને પડકાર ફેંક્યો. જ્યારે બન્ને વચ્ચે સ્પર્ધા થઈ ત્યારે તાનસેને મૃગરંજની રાગ છેડ્યો જેનાથી આકર્ષાઈને હરણ તેની પાસે ટોળે વળ્યા અને તેણે દરેક હરણના ગળામાં એક ફુલોની માળા પહેરાવી દીધી. પછી તેણે ગાયન બંધ કરતા જ બધા હરણ ત્યાંથી ભાગી ગયા. તાનસેને બૈજુને તે બધી માળાઓ પાછી લાવવાનૌ પડકાર ફેંક્યો, બૈજુએ પણ રાગ છેડ્યો અને તે રાગના સંમોહન હેઠળ બધા હરણ ફરીવાર ત્યાં આવ્યા અને બૈજુએ દરેક માળાઓ પાછી મેળવી. ત્યારબાદ બૈજુએ જે રાગ ગાયો તેના કારણે તે જે શિલા પર બેઠો હતો તે પીગળવા મંડી અને જ્યારે તેનો કંઠ સુધી તે શિલામાં ધસી ગયો ત્યારે તેણે ગાયન બંધ કર્યું અને તાનસેનને પડકાર ફેંક્યો પોતાને મુક્ત કરવાનો. તાનસેને પોતાની અસમર્થતા સ્વીકારી હાર માની લીધી અને બૈજુએ સ્વયં પોતાની જાતને મુક્ત કરી. તેણે તાનસેનને દેહાંત દંડની સજા ન અપાવતા માફ કર્યો અને સંગીત જેવી દૈવી વિદ્યાનો આવી રીતે અનાદર ન કરવા કહ્યું.
        સંગીતની આવી તો અનેક કથાઓ છે જે ખુટે તેમ નથી. હાલના સમયમાં સંગીતનો ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગ થાય છે. કેટલાક સંશોધનોમાં જણાયુ છે કે વૃક્ષો આગળ સંગીત વગાડવાથી તેમનો સારો વિકાસ થાય છે.તો આવો સંગીતના સાગરમાં ડુબીને જીવન સંગીતમય બનાવીએ.

       ટુચકો- ગુજરાતીના મહાન હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેના ઘરે રાખેલ ઉજાણી માં આવેલ મહેમાનો પૈકી એકે એમને ઘરમાં પડેલા સિતાર સામે આંગળી ચીંધીને કહ્યુ ''તમને ખબર છે આના તાર બકકીના આંતરડામાંથી બનાવવામાં આવે છે?'' જ્યોતિન્દ્ર દવે એ જવાબ વાળતા કહ્યું'' એટલે જ જ્યારે તમે તે વગાડતા હો છો ત્યારે કોઈની આંતરડી કકળતી હોય તેવું લાગે છે.''
       
     
        
       
       
       

Wednesday 21 June 2017

21st June

      આજે 21મી જુન. વિશ્વના વર્ષ દરમિયાન આવતા 4 અગત્યના દિવસો પૈકીનો એક દિવસ.
      અનંત વર્ષોથી દર વર્ષે સૂર્ય પૃથ્વીની ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર તરફ નો પોતાનો પ્રવાસ અવિરતપણે કરતો રહ્યો છે (અલબત્ત પૃથ્વીની સાપેક્ષમાં વાસ્તવમાં નહી). સૂર્યના આ પ્રવાસને આપણે અનુક્રમે દક્ષિણાયન અને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ (અયન એટલે જે તે દિશા તરફની ગતિ).અને આ પ્રવાસનો અગત્યનો પડાવ એટલે 21 મી જુન.સૂર્યના ઉત્તર દિશા તરફના પ્રવાસનો છેલ્લો દિવસ, અને તેથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસનારા લોકો માટે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, સાથે જ દક્ષિણ ગોળાર્ધવાસીઓ માટે વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ પણ ખરો.હવેથી સૂર્ય દક્ષિણ દિશા તરફનો પોતાનો પ્રવાસ આરંભશે (દક્ષિણાયન) અને તેથી ઉત્તર ગોળાર્ધવાસીઓ માટે દિવસની લંબાઈ ક્રમશ: ઘટતી જાશે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વધતી જાશે.
       સૂર્યની આ યાત્રા પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધને મળતા પ્રકાશ, ગરમીનું અને તે દ્વારા ૠતુઓનુ નિર્ધારણ કરે છે.
       સૂર્ય ની આ યાત્રા દરમિયાન 4 અગત્યના પડાવ આવે છે.
(1) 21 મી જુન. ઉત્તરાયનનો અંતિમ દિવસ જેને અંગ્રેજીમાં summer solstice તરીકે ઓળખવામા આવે છે.
(2) 23 મી સપ્ટેમ્બર. શરદ સંપાતનો દિવસ. નામ મુજબ આ દિને દિવસ અને રાતનો સમય એકસરખો હોય છે. જેને અંગ્રેજીમાં Equinox કહે છે.
(3) 22 મી ડિસેમ્બર. ઉત્તરાયણનો આરંભ. 21મી ડિસેમ્બરે દક્ષિણાયનનો અંતિમ દિવસ તેથી સૌથી ટૂંકો દિવસ જેને અંગ્રેજીમાં winter solstice કહે છે.
(4) 23મી માર્ચ. વસંત સંપાતનો દિન. દિવસ અને રાત એકસરખા. spring equinox
        સદગુરૂ જગ્ગી વાસુદેવ અનુસાર આ જ દિવસે આદિયોગી યોગીશ્વર ભગવાન શિવે સપ્તર્ષિઓને જ્ઞાન પ્રદાન કરેલ.
        આ દિવસ ભારત માટે રાજકીય રીતે ઘણો મહત્વનો છે. આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ હેડગેવારે આ દુનિયામાંથી વિદાય લીધેલ. પરંતુ તે પહેલા તેમણે એક એવી સંસ્થા સ્થાપી જે કદાચ વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા હશે. એવી સંસ્થા કે જેણે લોકોમાં દેશસેવાની ભાવના પેદા કરી, જેણે હિન્દુ સમાજમાં સમાનતા માટેનું ઊંચ-નીચની ભાવના  દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજે પણ કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિના સમયમાં રા.સ્વ.સં. ના સ્વયંસેવકો સેવામાં તત્પર જોવા મળતા હોય છે.
        આ જ દિવસે ભારતને એવા વડાપ્રધાન મળ્યા કે જેણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતને મુક્ત અર્થતંત્ર બનાવવાના ક્રાંતિકારી પગલા લીધા, પી. વી. નરસિંહ રાવ.
        નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેના ત્રણ વર્ષ પહેલા બેંગાલૂરુ ખાતે યોગાચાર્યોની બેઠક મળેલ અને તેમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ કે યોગની ઉજવણી માટે એક વિશ્વ યોગ દિવસ હોવો જોઈએ., પરંતુ તેમની આ ઈચ્છા ફળીભુત થઈ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ. 27 મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બોલતા તેમણે જણાવ્યુ કે 'યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની માનવજાતને એક અમૂલ્ય ભેટ છે.' અને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે તેવો પ્રસ્તાવ મુક્યો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તે અંગે અનૌપચારિક ચર્ચા શરૂ કરાઈ અને જ્યારે 11 ડિસેમ્બર 2014 ના રોજ અશોક મુખર્જી દ્વારા જ્યારે વિશ્વ યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો ત્યારે 177 દેશો તરફથી તેને ટેકો મળ્યો અને તે આ દિવસની ઉજવણી ના સહ-પ્રાયોજક બન્યા, જે અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા પસાર કરવામાં આવેલ કોઈપણ ઠરાવ પૈકી સૌથી વધુ છે. આટલી મોટી સંખ્યામાં દેશો દ્વારા કોઈી ઠરાવને સમર્થન મળ્યુ હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો અને વિના મતે આ ઠરાવ પસાર થયો જે ભારત દેશ માટે આપણી પ્રાચીન સભ્યતા માટે ગર્વની વાત છે. યોગને વિશ્વ ફલક પર મુકવા માટે નરેન્દ્ર મોદી ધન્યવાદને પાત્ર છે.
        પણ સાથે સાથે માનવ જાત ૠણી રહેશે મહર્ષિ પતંજલિની કે જેણે અત્યંત પ્રાચીન યોગવિદ્યાને સૂત્રબદ્ધ કરી આ અમુલ્ય વારસો માનવજાતને સોંપ્યો અને અસંખ્ય જાણ્યા અજાણ્યા યોગસાધકો અને યોગાચાર્યોનો જેમણે આ જ્ઞાનગંગાને વહેતી રાખી. આવો આજે તેમને સહુને નમન કરી આ યોગરૂપી ગંગામાં સ્નાન કરીએ, નિત્ય કરીએ અને તનથી તથા મનથી સ્વસ્થ રહીએ.