આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ નારાયણ, જેઓ અંગ્રેજી સરકાર ના દમન સામે લડ્યા હતા અને ફરીવાર ઈન્દિરા ગાંધી સરકાર ના દમન સામે લડ્યા. દુર્ભાગ્યે દમનકારી લોકોને ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આવા સાચા રત્નો વંચિત રહી ગયા હતા. છેક ૧૯૯૯ માં વાજપેયી સરકારે જયપ્રકાશ નારાયણને ભારતરત્ન પુરસ્કાર આપ્યો હતો.
ઘણા લોકો આપણી સ્વતંત્રતા ટકાવી રાખવા લડ્યા, બલિદાન આપ્યું, અને આ મહામૂલી સ્વતંત્રતાને પાછી મેળવી.
આજનો દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવો જોઈએ પણ કમનસીબે તે એક સામાન્ય દિવસ બનીને રહી ગયો છે. આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ જે સ્વતંત્રતા માટે આટલા બલિદાન આપેલા છે તે ગમે ત્યારે આપણી પાસેથી છીનવાઇ શકે છે, તે આપણી પાસેથી પણ બલિદાનો માંગી શકે છે.આજનો દિવસ હંમેશા યાદ રાખવો જોઈએ અને ઉજવવો જોઈએ.
જય હિન્દ.
Featured post
૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ
આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...
Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts
Thursday, 21 March 2019
૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ
Subscribe to:
Posts (Atom)