Featured post

૨૧ મી માર્ચ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

          આજે ૨૧મી માર્ચ. આજના જ દિવસે ભારત બીજી વખત સ્વતંત્ર થયું હતું. અને આ સ્વતંત્રતા ના મુખ્ય નાયકો હતા આચાર્ય કૃપાલાની અને જયપ્રકાશ ના...

Friday 1 March 2019

चिड़िया दे नाल बाज़ लड़ावा

   चिडिया दे नाल बाज लडावा
गीदडानु में शेर बनावा
सवा लाख से एक लड़ावा
तां गोविंदसिंह नाम कहांवा
         ગુરુ ગોવિંદસિંહનું આ એક અમર વાક્ય છે. ૧૭ મી સદીમાં ઔરંગઝેબના આદેશથી ગુરુ ગોવિંદસિંહને પકડવા માટે લાખો મુગલ સૈનિકો ચમકોરના કિલ્લા આગળ એકઠા થયા હતા, ત્યારે ગુરુ ગોવિંદસિંહ પાસે માત્ર ૪૦ જ સૈનિકો હતા. આ સૈનિકોએ ગુરુ ગોવિંદસિંહને પોતાના સંતાનોને લઈને કિલ્લામાંથી જતા રહેવા કહ્યું, એમ કહીને કે આટલા બધા સૈનિકો સામે ટકવું અસંભવ છે. ત્યારે ગુરુ ગોવિંદસિંહ આ ઉક્તિ બોલ્યા હતા.
          ચમકોરના એ યુદ્ધમાં માત્ર ૪૦ શીખ સૈનિકોએ લાખોની એ મુઘલ સેનાના દાંત ખાટા કરી નાખ્યા હતા, અને હજારો મુઘલ સૈનિકોને હણી નાખ્યા હતા.
          યુદ્ધોના ઈતિહાસમાં આ એક અકલ્પનીય, અપ્રતિમ ઘટના છે, જ્યાં સાચે જ જાણે ચકલી બાજ સામે લડી અને જીતી પણ ખરી. 
          આવી જ કંઈક ઘટના સારાગઢીના યુદ્ધમાં બની હતી જ્યાં માત્ર ૨૧ શીખ સૈનિકોએ ૧૦૦૦૦ જેટલા અફઘાન સૈનિકોને થંભાવી દીધા હતા. અંતે તે સૌએ પોતાનું બલિદાન આપ્યું હતું પણ તે પહેલા સેંકડો અફઘાન સૈનિકોને હણી નાખ્યા હતા.
           આવી જ એક વીરગાથા ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં લોઙગેવાલા ખાતે થયેલ લડાઈની પણ છે, જ્યાં ભારતીય લશ્કરની એક કંપનીએ જ પાકિસ્તાની સેનાની આખી બટાલિયન ને રોકી દીધી હતી.
           આ બધી જ વીરગાથાઓ चिड़िया दे नाल बाज़ लड़ावा સમાન છે, અને આવી જ ઘટના હમણાં પાકિસ્તાની યુદ્ધ વિમાનો જ્યારે ભારતીય લશ્કરી થાણા પર હુમલો કરવા આવ્યા ત્યારે બની. પાકિસ્તાની વિમાન સેનાએ અત્યાધુનિક એફ-૧૬ વિમાનો હુમલા માટે મોકલ્યા હતા અને ત્યારે ભારતીય વાયુ સીમા નું સંરક્ષણ માટે જુની પેઢીના મીગ-૨૧ વિમાનમાં કમાન્ડર અભિનંદન આકાશમાં ચક્કર લગાવી રહ્યા હતા. જો તેઓ ભારતીય વાયુ સેનાને જાણ કરવામાં સમય ગુમાવે તો પાકિસ્તાની વિમાનો હુમલો કરવામાં સફળ થાય એવું બને તેથી તેમણે એ વિમાન, કે જે અત્યાધુનિક, વધુ ચપળ અને વધુ શક્તિશાળી હતુ, તેને પડકાર્યુ, તેની સામે લડ્યા અને અંતે તે વિમાનને વીંધીને નષ્ટ કર્યું. યુદ્ધ વિમાનો ની આકાશી લડાઈની ઘટનાઓમાં આ ઘટના સોનેરી અક્ષરોથી લખાશે. આવી હિંમત માટે કમાન્ડર અભિનંદન, અભિનંદનને પાત્ર છે. તેમની આવી વીરતાથી દરેક ભારતીય ની છાતી ગજગજ ફૂલે છે. 
           Salute to Indian Air Force, જય હિન્દ.

6 comments:

  1. ખૂબ સરસ...

    સરગઢી ના યુદ્ધ પર જ ફિલ્મ કેસરી આવી રહી છે..
    ..

    ReplyDelete
    Replies
    1. હા, અને લોંગેવાલા ની લડાઈ પર બોર્ડર ફિલ્મ બની હતી.
      તમારી ટિપ્પણી માટે આભાર.

      Delete